Sunday, March 29, 2015

વિદ્રોહમૂલક દલિત કવિતા: ડો.ભરત મહેતા




















૮૧, ’૮૪ના અનામત આંદોલન સમયે વર્ણાશ્રમપ્રથાનો એરૂ દલિતોને ફરી ફરી આભડ્યો ત્યારે નવશિક્ષિત દલિતોએ પોતાની પીડામાં કલમ ઝબોળી હતી. તાજા લોહીના ટશિયા ફૂટેલી એ કવિતા ડંખીલી હતી. આક્રોશપૂર્ણ હતી. શંકર પેન્ટરની ‘બૂંગિયો વાગે’ની કવિતા એ ગાળાની હતી. હમણાં હમણાં દલિત સાહિત્યમાં ‘સમરસતા’ના બહાને થોડી ઠાવકાઈ આવી ગઈ. દલિતો, સામાજિક ઉપરાંત ર્આિથક દલિતો, વધ્યા છતાં વૈશ્વિકરણના આ માહોલમાં એ આગ પ્રજવલિત બનવાના બદલે ઠંડી ઠંડી બનેલી લાગતી હતી. ત્યાં જ મારા હાથમાં ‘હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા’ સંગ્રહ આવતાં જ એ વિદ્રોહમૂલક દલિત કવિતાએ જન્માવેલાં અનુરણનો પુનઃ ગુંજવા માંડ્યા. એ અનુરણનોનું સરવૈયું અહીં રજૂ કરું છું.
વર્ણાશ્રમ વ્યવસ્થાનો નકાર, એની સામે પ્રચંડ વિદ્રોહ, એ માટે જવાબદાર ધર્મસત્તાને પડકાર, પદદલિતવર્ગને સામાજિક અન્યાય સામે લડવાની પ્રેરણા આપવી એ દલિત સાહિત્યનો હેતુ છે. ત્યાં દલિતપીડિતવ્યથા મુખ્ય છે, સાહિત્ય ગૌણ છે. શુધ્ધ કળાસૌંદર્ય અનુભવ એ દલિત સાહિત્ય માટે અનિવાર્ય શરત નથી. સાહિત્ય અહીં સામાજિક આંદોલન માટેનું સાધન છે. નર્મદને સુધારાના સૈન્યનો કડખેદ બનવાનું પસંદ હતું એમ દલિત સર્જકને પણ છે. તેથી કળાસ્પર્શના ઈશારામાત્રથી એ પોતાના ધ્યેય તરફ ગતિશીલ છે. પ્રચારાત્મકતા એ અહીં કળાદોષ નથી. શંકર પેન્ટર ગુજરાતી દલિત કવિતાના આદિકવિઓમાંના એક છે. આ એમનો સંર્વિધત નવો સંગ્રહ દલિતતત્ત્વથી સભર હોઈને એ અર્થમાં એમની રચનાઓ ખરી ઉતરે છે. ‘સીધી સી બાત, ન કોઈ મિર્ચમસાલા. કહેતા હૈ જો કહનેવાલા’ની વાચકને અનુભૂતિ થાય છે. માત્ર દલિત સાહિત્ય જ શા માટે ? ગાંધીયુગના ઘણા કવિઓએ મુખરતાનો રંગેચંગે સ્વીકાર કર્યો હતો. સનાતન જ નીપજાવવાના ચાળે ચઢેલાઓએ બાવાના બેય બગાડ્યાનો તાલ કર્યો છે એ આપણે ક્યાં નથી જાણતા ? અમર કવિતાના, રવીન્દ્રકવિતાના ચાહક મેઘાણીએ આ અર્થમાં જ પોતાની કવિતાને "યુગવંદના" ગણાવી સીમિત પણ પ્રસ્તુત હેતુનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. કાળના અનંત પ્રવાહમાં મારો ભાવક જન્મવાનો બાકી છે એવી શેખી માનનારાઓ બધા જ કંઈ ભવભૂતિ નથી હોતા ! કહેવાનો અર્થ એટલો જ છે કે આ સંગ્રહની રચનાઓ મહાન કવિતા નથી, અમર કવિતા નથી પણ આજની ઘડીએ જરૂરી  એવી કવિતા છે. એની પ્રસ્તુતતા એનો વિશેષ છે.

આ પ્રાસંગિકતા શી રીતે પ્રવેશી છે ? ૧૮૫૭નો વિધિવત્ ઈતિહાસ તો પછી લખાયો પરંતુ દસ્તાવેજની વિપુલ સામગ્રી સાહિત્યરૂપે સચવાયેલી છે. ૧૯૪૭ના ભારત વિભાજનનો જેટલો ઈતિહાસ સાહિત્યસામગ્રી પાસે છે તેટલો શાસ્ત્રીય ઈતિહાસ પાસે નથી. એ રીતે રોજબરોજ થતા દલિત અત્યાચારોનો અહીં કાવ્યમય દસ્તાવેજ છે. દલિતપીડન અને પ્રતિરોધ બેઉને અહીં પદ્યદેહે સંગ્રહયા છે. કાયદેસરના ઈતિહાસો કદાચ એને ઢાંકી ઢૂંબી દે તો આ કવિતાઓ એ દુઃસ્વપ્નભરી ઘટનાઓની અને એના પ્રતિરોધની સ્મૃતિને જાળવશે. ’૮૧માં અનામત આંદોલન વખતે મહેસાણાના જોટાણા ગામે જયારે દલિતવાસ પર હુમલો થયો ત્યારે રતનબહેને ગોફણગોળાથી સામનો કરેલો એ ‘બાઈ રતનને રંગ...’ કાવ્યમાં ઝિલાયો છે. મેઘાણીના ‘શિવાજીનું હાલરડું’ના ઢાળમાં ‘સાંબરડાના હિજરતીઓને...’ કવિએ વાચા આપી છે. લોકઢાળને ખપમાં લઈને ઈતિહાસને સુદૃઢ કરી આપવાની કવિની પ્રયુક્તિ ‘સાવજને સંદેશ’ કાવ્યમાં પણ છે. મહાદેવપુર, સરગાસણ, મીઠાઘોડા, સઈજ, રણમલપુર, ધૂળકોટ, ઝાંઝમેર, થરાદ, ચિત્રોડીપુરા, સાંબરડાના દલિત અત્યાચારો આ કવિતામાં દસ્તાવેજરૂપે પદ્યદેહે સચવાયેલા છે. એ દસ્તાવેજો સમાચારોમાં ઢંકાઈ ગયા છે પણ આ કવિતામાં ઉઘાડેછોગ નોંધાયેલા રહેવાના. દલિતલક્ષી કાર્યક્રમોની થયેલી વલે ‘પંચાયતની પોપલીલાઓ...’માં જોવા મળે છે. ‘મહાડ સત્યાગ્રહ’ કાવ્યમાં ભીમરાવ આંબેડકર દ્વારા ચલાવેલી અૈતિહાસિક લડતનો દસ્તાવેજ છે. એક વેળાએ ગાંધી કેન્દ્રિત કાવ્યોની ગાંધીયુગમાં લ્હેર ચાલી હતી. દલિતજાગૃતિ પછી આંબેડકર કેન્દ્રમાં આવે છે. આ સંગ્રહમાં ‘ભીમ કવિતા’નું નોખું પાડી શકાય એવું કાવ્યજૂથ મળે છે. ‘બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો...’, ‘વંદન છે ભીમરાવ...’, ‘અમે ભીમતણા છીએ બંદા’, ‘કેમ ભૂલે બાબા ભીમને...’, ‘વિચારધારા ભીમની રે...’ વગેરે ગીતો લોકસમૂદાયમાં ઉન્નત વિચારો પહોંચાડવા માટે ખપમાં આવે છે. ‘જાગજો રે જાગજો’, ‘જાગો નવજુવાનો’ આવા જ પ્રેરક કાવ્યો છે. દલિતવસ્તીમાં થતાં કાર્યક્રમોમાં આવા ગીતો દ્વારા દલિતજાગૃતિનું કામ કરી શકાય. ઔપચારિક શિક્ષણથી વંચિત બહુજન સમુદાય માટે આવા ગીતો પ્રેરક બની શકે છે. જિંદગીની રોજબરોજની ચાલતી લડતમાં આવા ગીતો ભાવકને જીવનબળ પૂરું પાડે છે. આવા કાવ્યોનું મૂલ્યાંકન કવિતાકળાના ધોરણે કરવામાં ભીંત ભૂલ્યા જેવું થશે.
મેઘાણીએ જેમ પ્રચુર લયમાં ‘ચારણકન્યા’નું તેજસ્વી રેખાચિત્ર પરોવ્યું છે તેવું જ અહીં ‘કાળિયો ઢોલી’ કાવ્ય છે. આમ, રતનબહેન કે કાળિયા ઢોલીથી માંડી મેઘ માયા કે આંબેડકર સુધીની કવિતા અહીં છે. ગળાની કુલડી અને પાછળનું ઝાડુ નાબુદ કરાવવા, સિદ્ધરાજ જયસિંહને રીઝવવા બલિદાન આપતા વીર મેઘ માયાને કવિએ એકાધિક વાર યાદ કર્યા છે. માનવ અધિકારના એ લડવૈયાનો ઈતિહાસમાંથી એકડો કાઢી શકાશે નહીં. પાટણના એ શહીદને આજે ક્યાં યાદ કરાય છે ?
‘આજે
એ સૂક્કા-ભઠ્ઠ સરોવરનું
પ્રાચીન સ્થાપત્ય જોવા
દેશ પરદેશથી આવનાર આગંતુકોને
‘માયાટેકરી’નો ભવ્ય ઈતિહાસ
કોણ કહેશે ?’

એમની આવી કવિતા હાંસિયામાં ધકેલાઈ ગયેલા દલિત ઈતિહાસને રેખાંકિત કરવા મથે છે. તેથી ઈતિહાસ સાથે કવચિત્ કલ્પનાને ભેળવે પણ છે. ગાંધીજીએ પોતાનો આગામી જન્મ ભારતના વાલ્મિકીકુટુંબમાં ઝંખ્યો હતો. જો, આમ થાય તો શું થાય ? તેનું રસપ્રદ ચિત્ર ‘આવનારો યુગ હવે આપણો...’ કાવ્યમાં મળે છે. ગટરમાં ઊતરતો મોહન મેહતર બીજા અવતારે આંબેડકરને પૂરેપૂરા સમજયો હોત !

દલિતોની જાગૃતિ માટે આવી કવિતા કાર્યસાધકપ્રવૃત્તિ છે. તળપદી બાનીના જોમમાં ભૂતકાળને વેઠી લેવાને બદલે ફેંકી દેવા કવિ આહ્વાન કરે છે. ‘ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જયું સ ?’ જેવી કવિતા સવર્ણનો સત્તાધારી યુગયુગાન્તરથી ગુંજતો સવાલ છે. દલિત કવિતાની એ પહેલી સ્થિતિનું નિદર્શન છે. ‘બકવા બેટ્ટા બંધ કરી દો...’એનો પ્રકોપમય સબળ પ્રત્યુત્તર છે. આ આક્રોશ, વિદ્રોહ અસહ્ય પીડામાંથી જન્મ્યો છે. પ્રેમચંદજીની ‘પૂસ કી રાત’ વાર્તાની યાદ આપતી શંકરની આ ત્રીજા નેત્રની પ્રસાદી જુઓ ; દલિત કવિતાની બીજી સ્થિતિનું નિદર્શન.
સાંજના વાળુ કરીને
છેક ભળભાંખળા લગ
પોષની આ કડ્કડ્તી ટાઢ્યમાં
ફોંનસ્ ના આ ટમ્ટમતા અજવાળે
આશીરાત ફડ્ફડ્તા કાળજે થર્થર્તો
પોંણોત્ માં મંડ્યો’તો
ઉઘાડા પજે ઢેંચણ ઢેંચણ ગારામાં
વાંકા વળી
પાવડાનઅ્ અનઅ્ બાવડાન્
પળપળ પણ જંપવા દીધા નોંતા
તાંણ મારી કેડ્યોના મંકોડાય્
જવાબ આલી જયા...
કૂકડો બોલ્યો ના બોલ્યો
માંડ મુએ ઢાંકણાં વાસ્યાં
તરત જ
હોમાં શેઢે થી
શેતરના માૅંટીની પાસી મ્હોંકણ્ મંડઈ
આ મારા અકડઈ જેલા હાડકાય
પણ પાહુ ફરવાની મન્ ના પાડસ્
ઈને તો હોંમા શેઢેથી જ ગાળોની ઠોળો ઉડાડી
કેસઅ્ આ ભેંશોને આંયથી આઠ ગઉ આઘા ગોંમે
દિયોર્ હાલન્ હાલ મેલી આય્
નકર તારું ચોંમડુ ઉતારી નાસે
ઓ ઉપરવાળા
ચયા જનમના પાપે તુંએ અમોને
આ દોઝખમાં નાસ્યા સઅ્ !
હવ્ તો આ લગી...ર..ય.. જીરવાતું નથી.
’લ્યા ભૂંડા !
ગાળો કાઢવી હવઅ્ બંધ કર
તન હાથ જોડું સુ,
ભઈલાં તારા પગે પડું સુ ’લ્યા
નકર
જોયો આ પાવડો નઅ્ તારો બૈડો
તારી માં ફાડી નાસે !
(શેતરના માૅંટીની મ્હોંકાણ)

સપાટ બયાની, કેવળ અભિધાથી કાવ્ય સિદ્ધ થયું છે. તળપદી બાનીમાં કાવ્યનાયકના મનોગતને જ વાચા આપીને કવિએ વિસ્ફોટ કર્યો છે ; છતાં આ કવિતા કેવળ નમૂના દાખલ છે. તળપદી કાવ્યબાની કવિને એવી તો હસ્તગત છે કે અલગ લેખનો વિષય પણ બની શકે તેમ છે. નાનકડા રૂપકો સરળતાથી સંદેશ પહોંચાડે છે.

મળી સળીઓની નાત,
બની ઝાડુની જાત,
રાખી કાયમ પછાત,
હવે રહેશે નહીં !
કદી રહેશે નહીં !
(‘ક્રાંતિનો નાદ)

‘વેઠિયા મજૂર’ જેવી કવિતા સામાજિક બહિષ્કૃત જ નહીં પણ વ્યાપક સર્વહારાનો નિર્દેશ કરે છે. સાવ સાદી પંકિતમાં મૂડીવાદી અર્થનીતિને પર્દાફાશ કરી મૂકે છે.
‘કાયદાઓ કરનારાને તોડનારા કોણ છે ?
ગરીબોના દેશમાં આ ગરીબો તો ગૌણ છે !’
કાળી મજૂરી સામે થોડા વળતરનું ચોટદાર બયાન ‘ઊગે સૂરજ, ડૂબે સૂરજ’ જેવી કવિતામાં થયું છે. સુદરમ્ જયાં લગી અરવિંદમાર્ગી ન બન્યા ત્યાં લગી એમની પાસેથી વાસ્તવધર્મી કવિતાઓ મળી હતી. ‘કોયો ભગત’ ગુજરાતી કવિતાની પહેલી જીીષ્ઠેઙ્મટ્ઠિ અભિવ્યક્તિ હતી. એ પરંપરામાં, મેઘાણીની ‘આવો દિલદાર’ની પરંપરામાં શંકર પેન્ટર ઈશ્વરને પણ અડફેટે લઈ લે છે. દુષ્કાળનું વ્યંગસભરચિત્ર મેઘાણીએ પૂરું પાડ્યું હતું. શંકર પેન્ટરની ‘ઠાકરથાળી’ કવિતા એ કૂળની છે. ગુજરાતમાં વારંવાર દુષ્કાળની આવનજાવન ચાલી પણ કવિતા ભેગી કરીએ તો ? ઠાકરોને દુષ્કાળની વાનગી કેમ ફાવે ?

‘ભીંડા, રીંગણ, તૂરિયા, એવું ય નથી કોઈ શાક,
મરચું વાટ્યું મોહના ! કોઈ કરતો ના કકળાટ,
ખારા પાણીથી બાંધ્યો લોટ, ચારણીમાં ચાળી ;
આવો દૂકાળીયાના દેશ જમવા ઠાકર થાળી !’

આધુનિકતાના ગાળામાં પ્રિયકાન્ત મણિયારે ‘એ લોકો’ શીર્ષકની કવિતામાં મૂડીવાદી શોષણ નીતિને કાવ્યરૂપ આપ્યું હતું. ત્યારપછી મૂડીવાદી અર્થનીતિએ બચવા માટે ધર્મકેન્દ્રિત રાજનીતિની દિશામાં, ફાસીવાદી દિશામાં ગતિ કરી છે. શંકર પેન્ટર ‘એ લોકો’ શીર્ષકની કવિતામાં આ ફાસીવાદને આલેખે છે. લઘુમતીઓને ‘હાથા’ બનાવતી રાજનીતિને ઉઘાડી પાડે છે.
‘ગામના રામમંદિરમાં
એ લોકો
તને તેનો ઓટલોય
ચઢવા દેતા નથી,
પાંહેય્ ઢૂંકવાય દેતા નથી ! તારા પડછાયાના ભયથી.
જયારે
અયોધ્યા માટે અથડાવી દેવા
તારા માથે કેશરીયાં કફન બાંધે છે ! અદકેરા વ્હાલથી.
ગામ કૂવાના થાળા પરથી
એ લોકો
તને ટીંપુ પાણી પણ કાઢવા દેતાં નથી
જયારે
રામશીલા ને ગંગાજળની બાટલીઓ બઝાડી
પૂજન કરાવી
તારી પાસેથી પૈસા પડાવે છે !’

રાજનીતિને કવિતાના કેન્દ્રમાં મૂકવાનું સાહસ જ કોઈ કરતા નથી. અનામત આંદોલન, કોમી દંગલો આવે ને જાય. કવિતા તો પ્રેમની જ થાય, પુષ્પોની, પંખીની થાય. ગળચટ્ટી પીપરમેન્ટની જેમ ચગળ્યા કરવાની. ‘ઓ તમારી બુનના ધણીઓ...’ કાવ્યનો ચિત્કાર તો ગુજરાતની શાંતિપ્રિય જનતાનું સર્જન છે, શંકર પેન્ટરનું નહીં.

‘અલ્યા શઉકારો,
એક તો તમારું શેતર શેઢું
બળધીયું મર ઈનય તોંણું
કોહ ફાટ્ટ તાંણ થીંગડં મારૂં
તમોરી બાયડીની સપાટો અને જોડા હાંધુ !
દાડીયો થઈનેય્ તમન દોંણા ભેળા કરૂં
હારૂં લગાડવા ઈમણીમય
તમારી ભૈંઠ વગરની વાતમાં
હી... હી... હી... કરૂં
હોમા આવો એટલ્ અવળો ફરીને આઘો ખહું
તમનઅ્ માશો બમણેલાનય્ ઘણા માંનથી બોલાવું
પાસો
તમારાથી બીયઈનઅ્ મ્હાંય મૂતરી જઉં !
મારા ભઈલાંનો એક નંબરનો દશમન થૈ
માંયલી વાતો તમનઅ્ પરોણે આલી જઉં !
તોય પેલા દાડે
મુંયે કદીય ના ભાળેલી અનોમત
- એ તો કાળી-ગોરી, જાડી-પાતળી, લોંબી ટૂંકી
ખબર નહી
એવી અજબગજબની અનોમતો હળગાવવા / હટાવવા
તમારા વકરી જેલા વાંદરોં નઅ્
ફૂલવાડામાં મોકલતઅ્
તમન્ લગીરેય્ શરમ નાયી
ભઠ્ઠ પડ્યો ‘લ્યા,
તમારી બુનના ધણીઓ તમોનઅ્ !’

એમનો આ સાટી નાખતો કટાક્ષ સર્વત્ર ફરી વળે છે. ‘વીરા મારા વ્હાઈટ કાૅલર વાળા.’ કાવ્યમાં, લોકઢાળમાં પ્રત્યેક સમાધાનકારીને લપેટમાં લીધા છે. ક્રાંતિની વાત કરનારાઓ ક્યારેક સામાજિક દુર્વ્યવહાર પરત્વે આંખ આડા કાન કરે છે એમની ખબર લીધી છે. ભણેલા ગણેલાઓ મને દગો દીધો છે એવી આંબેડકરી અનુભૂતિ અહીં ઘણી રચનાઓમાં છે. તકવાદી દલિતોને ય કવિએ છોડ્યા નથી. કેવળ પ્રમોશન માટે જ ‘કાસ્ટ સર્ટીફિકેટ’ને જાળવી રાખતા, બાકી પોતાના સમાજથી સિફતપૂર્વક અંતર જાળવનારાઓને ‘મહાવરો’ કાવ્યમાં ફટકાર્યા છે. દલિત કવિતાની આ નિમર્મ ચિકિત્સા છે. ‘પૂનાકરારી પૂતળું’ પણ આવી શિખંડી નેતાગીરીને તાકે છે. દલિતોનું દલિત નેતાઓ દ્વારા, મુસ્લિમોનું મુસ્લિમ નેતાઓ દ્વારા, આદિવાસીઓનું આદિવાસી નેતાઓ દ્વારા શોષણ કરાવતી તંત્રભાત આ કવિ જાણી ગયો છે. અનામતનો વ્યાપ વધતાં પોતે ક્યારેય વેઠ્યું નથી એવા સમાજો લાભ ખાટ પૂરતા ‘યાદીઓ’માં ઉમેરાતા ગયા એની સામેનો લોકરણકો  ‘હાચ્ચે હાચ્ચું બોલનઅ્ ફાડ્યા ?’ કવિતામાં પ્રગટ થયો છે. જેમને અનામત મળતી હતી એમને શું વેઠ્યું છે એની, છતાં એ કેવું ચેતનવંતુ જીવ્યા છે એનું સરવૈયું પણ સાથે સાથે આ કવિતામાં મળે છે. આ કાવ્ય સંગ્રહનું શીર્ષક પણ ‘હાચ્ચે હાચ્ચું બોલનઅ્ ફાડ્યા ?’ છે. આ બદલાયેલા માહોલ ઋષિના નાળચામાં જીવતા રહી ગયેલા અશ્વત્થામાની જેમ - સવર્ણ માનસિકતા ખૂણેખાંચરે તો પડી જ છે. હવે એમને ‘બીસાં’ કહેવામાં આવે છે ! કવિએ ‘સુધરેલી અસ્પૃશ્યતા’માં આ સ્થિતિ વર્ણવી છે.

‘રાજકારણની ચરમસીમાએ ચૂંટાયેલો અનામતીયો નેતા
આ સુધરેલી અસ્પૃશ્યતાનો ભોગ
તેના મત વિસ્તારમાંજ બનતો આવ્યો છે.
ગજવામાં ગ્લાસ ઘાલીને !
વાળ કપાવવા નજીકના શહેરે જઈને !
પછી
છેક છેવાડે
છાણમાટીના ખોરડામાં રહેતા
કાળા કુબડા મહેનતકશ માનવી પર તો
શું શું નહીં વીતતું હોય !’

આથી જ દલિતો વચાળેના દલિતો સાથે એકતા ઝંખે છે. ‘તું અને હું’ કવિતા એનું ઉદાહરણ છે. બીજી તરફ સવાયા બ્રાહ્મણવાદી બનેલા સામે પુણ્યપ્રકોપ પણ ઠાલવે છે. ‘પેટભરુ પાડ્ડાઓ’ ‘દલિત સાહિત્યના ઈજારેદારો’એ પ્રકારની કવિતાના ઉદાહરણ છે. આ રીતે આ સંગ્રહની કવિતાઓ અનેક દિશામાં સંકેત કરે છે. અહીં નર્યો સૂત્રોચ્ચાર પણ છે જે ર્ઁજંીિ ર્ઁીંિઅનું ઉદાહરણ છે તો ‘વિજયસવારી’ જેવી ઁીર્કિદ્બૈિહખ્ત ર્ઁીંર્િઅ પણ છે. લોકઢાળો, સોરઠાથી માંડી લોકપ્રિય ફિલ્મીધૂનોનો પણ આ કવિતાએ લોકભોગ્ય બનવા ઉપયોગ કર્યો છે. જેમકે દલિત સાહિત્યના ઈજારેદારોમાં કવિ ગંગના છંદોવિધાનનો વિનિયોગ છે તો ‘અબના રહેના ચૂપ’માં ઝૂમ બરાબર ઝૂમ શરાબી જેવું ફિલ્મીગીત ઢાળ માટે પસંદ કરાયું છે. ભાષાના ભેદભાવ પણ કવિએ ટાળીને ‘ઉન મસિહા કો મેરા સલામ’, ‘દો લલકાર મેરે યારો’, ‘હમ બલિદાન સે નહીં ડરેંગે’, ‘ભીમ કો સર્મિપત’ જેવી કવિતા હિન્દીમાં લખી છે. આ કવિતાનો સમૂહજન્ય પ્રભાવ એની છપાઈની ર્ઝઙ્મઙ્ઘ ૅૈિહંમાં નહીં પકડાય. જેમ શેરીનાટક અને મંચના નાટક વચ્ચેનો ફરક છે તેવો આ સંગ્રહની કેટલીક કવિતાઓ માટે કરવો પડે. આ અર્થમાં ગુજરાતની લોકપ્રિય કવિતા ‘આંધળી માનો કાગળ’નો લય પણ પોતાની કવિતામાં ખપમાં લે છે.

કવિની ઉદ્રેકશીલતા એટલી છે કે કવિતા જીભેથી (વાચા) નહીં ગળું ફાડીને બહાર નીકળવા તલપાપડ હોય છે. ઝનૂનપૂર્વક, લોકબોલીમાં સંવેદનને મૂકે છે તેથી કાવ્યકળાના એકાધિક પેંતરાથી દૂર એવી આ હોવા છતાં આ કવિતા હૃદયસ્પર્શી બની જાય છે. એની પ્રભાવકતા કવિના અદમ્ય ઉદ્રેકમાં સમાયેલી છે. એક ઉદાહરણ જુઓ;

‘ચ્યમ્ ’લ્યા આટલું ફાટ્ટી જયું સ્ ?
મારા હોમું હેંડત્ હાળા
લગીરય્ તન્ બીક ના લાજજી !
પુછજે તારા વાહમાં જઈને
કુણ સુ તનઅ્ કેહ એતો
લેંબડે બાંધી બાપનઅ્ તારા
ઘોકે ઘોકે દ્યદ્યડાયો’તો !
મેલ્લામાંથી ડોશીઓ આયી
તાંણ ખોળા પાથરી સોડાયો’તો !
દૂણી લઈને છાસ લેવા
આવજે હવ્ ગાૅંમમાં દિયોર્
હાદ પડાવું આંયથી જઈને
બંધ કરી દો દાડીયાઓન્
પોલીસ-પટ્ટોલ્ સરપંચ મારો
તલાટી ન મંતરીય્ મારો
ગોંમનો આખોય્ ચાૅરો મારો
તાલુકાનો ફોજદાર મારો
જોઈ લે આખ્ખો જીલ્લો મારો
મોટ્ટામાં મોટ્ટો પરધોન મારો
દિલ્લી હુદી વટ્ટ અમારો !
કુણ સ્ તારૂં ? કુણ સ તારૂં ?
ધારૂં તો ’લ્યા ઠેર્ર્ મારૂં
ચ્યમ્ ’લ્યા  આટલું ફાટ્ટી જયુંસ્ ?
મારા હોંમું હેંડતઅ્ હાળા
લગીરય્ તન્ બીક ના લાજજી !’

એના પ્રતિરોધની ભાષા પણ આવી જ બળકટ છે.

‘બહું થયું ’લ્યા, બહું થયું ’લ્યા, તું શું મારે ઠેર્ અમોને !
હવે બકવા’ બેટા બંધ કરી દો !
આ લૂલ્લી તારી ચૂપ કરી દ્યો !
એન્ટીના જેવી ચોટ્ટીવાળા,
અષ્ટમ્ પષ્ટમ્ ભસવાવાળા,
ગોળા જેવી ફાંદવાળા,
ખૂન પસીનો ચૂસવાવાળા,
પૂંછ જેવી મૂછવાળા
ટીલાં ટપકાં લ્હાળાવાળા,
હવે બકવા’ બેટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દો
શક-હૂણોને કૂષાણોથી
ધોતીયામાં ‘લ્યા મૂતરી જયા’તા !
તૈમુર અન્ તઘ્લઘ્ આયા
તાંણ ઘાઘરામાં ચ્યમ્ લપઈ જયા’તા !
રૂદ્રદત્ત જેવા કાપાલિક બ્રાહ્મણો
હાથઝાલી સોમનાથ મંદિર લૂંટાવતા’તા !
અકબર જેવા વિધર્મીઓ
બૂન ન સોડી પૈણી જયા’તા !
અલ્લાઉદ્ીન ખીલજી જેવા
રૂદ્ર-મહાલયો તોડી જયા’તા !
પેલા ઓરંગઝેબના દાબથી દિયોર
તમે, ઊભા ન્ ઊભા હજજી જયા’તા !
હવે બકવા’ બેટા બંધ કરી દો !
લૂલ્લી તમારી ચૂપ કરી દો !’

સ્ટ્ઠંીૈિટ્ઠઙ્મ જઙ્મેદ્બમાં રહેવા વાળો સ્ીહંટ્ઠઙ્મ જઙ્મેદ્બમાં નથી રહેતો હવે એ ઈતિહાસ જાણી ચૂક્યો છે. તેથી હવે પ્રતિરોધ શરૂ થયો છે. બધા જ પ્રતીકો તોડવા છે. આ પ્રતીકો સર્જનાર ધર્મસત્તાને પણ પડકારવી છે. તેથી જ કવિ કહે છે -

‘તોડ ચપણિયા ‘ચા’ના ભઈલા, હાથ હવે ના જોડ
માંગે ભીખ ના હક્ક મળે, ઈતિહાસ હવે મરોડ
થુવેરીયા કે ઝાડ બખોલે ફૂટી રકાબી લટકે
ગામે ગામે હાલત સરખી આગ ભીતરમાં ભડકે’

‘લાલબુજકક્ડ’માં

‘આતમ ને પરમાતમ કેરી
ભ્રમિત વાતો મેલ ભગતડા.
વાદ વિવાદે શબ્દ સાખીએ
તંબુરાના તાર તૂટ્યા ’લ્યા
મંજીરા ને કાંસીજોડા
નરઘાં ફૂટ્યા કૂટી કૂટી ’લ્યા
લાલબુજક્કડ્ વાતો ફક્કડ્
જ્ઞાની કેરો ડોળ બતાવી
ભોળાજનને ભરમાવવાને
કપોળ કલ્પિત દંતકથાઓ
રોચક, યથાર્થ, ભયંકર વાણી
આખ્યાનોમાં સુંદર ઢાળી
ચોખ્ખા ઘી નો શીરો ઉડાવે !
પડ્યો પડ્યો પગચંપી કરાવે
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રમાં
જુદા આત્માને પરમાત્મા ?
જે ધર્મોએ દૂર હડસેલ્યા
તેની જ તેં ભાટાઈ કરી ’લ્યા !’

ક્યાંક ‘સંસ્કારી’ માનસને આઘાત આપતી રચના છે. ઊજળિયાતના ‘પ્રાઈવેટ દવાખાનાનો છૂપો સંવાદ’ એનું ઉદાહરણ છે. સવર્ણના માટલામાંથી પાણી એઠું કરવા અને એમાં થૂંકવા કાવ્યનાયક પોતાના સાથીને કહે છે ! આવો આઘાત આપનારી ચેષ્ઠા પણ અસહ્ય યાતનાના પ્રતિરોધનું જ પરિણામ હું લેખું છું.

શંકર પેન્ટર માત્ર કવિતા જ નથી કરતા કર્મશીલ પણ છે. દલિત સર્જક પાસે એમની એ અપેક્ષા પણ છે. તેથી અંતે ‘વિચારીએ’ કવિતાનો વ્યંગ પણ સહેવો પડશે.

‘કશુંય કરવું નથી માટે
ફક્ત આત્મપ્રવંચના અર્થે
બસ
કવિતા જ કરશું !’

શંકર પેન્ટરને આપણે કહીએ કે તમારા કર્મશીલપણાથી અજાણ પણ તમારી કવિતાથી પણ આત્મખોજ કરવા પ્રેરાય એવી તાકાત ધરાવે છે. પછી વાચક ભલે કહેવાતો સવર્ણ હોય કે દલિત હોય. જલદી નહીં ભૂંસાય એવા સશક્ત દલિત કવિ તરીકે શંકર પેન્ટરનું સ્વાગત હો.

ડો.ભરત મહેતા
રીડર (ગુજરાતી વિભાગ)
ફેકલ્ટી ઓફ આર્ટ.
એમ.એસ.યુનિર્વિસટી, વડોદરા.

આખાબોલા અખા અને મેઘાણીના વારસદાર: સાહિલ પરમાર




આપણે દલિતોએ સાવ ખોટેખોટું અને આખેઆખું શુદ્રપણું ઓઢી લીધું છે. ખોટેખોટું એટલા માટે કે આપણે શુદ્રો તો નથી જ. આપણે તો અતિશુદ્રો છીએ. આપણે તો વર્ણવ્યવસ્થા-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણની બહારના, વર્ણબાહ્ય, વર્ણ વગરના, અવર્ણ,ર્ ંેંષ્ઠટ્ઠજંીજ, ઁટ્ઠહષ્ઠરટ્ઠદ્બ ૅર્િઙ્મીંટ્ઠૈિટ્ઠંી છીએ. આપણે તો બ્રહ્માના પગ તો શું, પણ પગની છેલ્લી આંગળીના નખનો વધી ગયેલો ભાગ પણ નથી. તો પછી આ શુદ્રો છે કોણ ? ઓળખી લો એમને અને સમગ્ર સાહિત્યમાં શુદ્રપણાનો ઝર્િજજ પહેરાવી દો એમના ગળે. કહી દો એ પટેલોને અને પખાલીઓને અને પંચાલોને, કોળીઓને અને ચૌધરીઓને અને ઠાકોરોને, સુથારોને અને સોનીઓને અને સલાટોને, લુહારોને અને કુંભારોને,ગઢવીઓને અને ગોવાળોને,  અને ગુણગાનભરી વંશાવળી ગાનારાઓને અને વાળંદોને, મોદીઓને, મોચીઓને અને માળીઓને, દાતણિયાઓને અને પાટણિયાઓને અને લોટણિયાઓને અને બક્ષીપંચની બધી જ્ઞાતિઓને કે તમે જ ખરેખરા શુદ્રો છો. વેઠતા રહ્યા છો અને વેંઢારતા રહ્યા છો વર્ણવ્યવસ્થાનો ભાર. શોષકો ભેગા ભળી ગયેલા સવાઈ સિતમગરો લો, આ શુદ્રપણાની ઓળખ પાછી આપી તમને. તમને ભૂતકાળનું ભાન તો નથી જ, પરંતુ તમારી વર્તમાન ગુલામીનું પણ ભાન નથી.

તમને થશે કે મેં શુદ્રોની ઓળખપરેડ કેમ આદરી ? તો મને કહેવા દો કે ભક્તિ આંદોલનના મોટા ભાગના સંતો શુદ્રો હતા. આખેઆખો ભારતીય કારીગર વર્ગ - ૈહઙ્ઘૈટ્ઠહ ટ્ઠિંૈજટ્ઠહ ષ્ઠઙ્મટ્ઠજજ ભક્તિકાળમાં ઊભર્યો ને ભક્તિના માધ્યમથી એણે આ સમાજના અસમાનતામૂલક મૂલ્યોને પડકાર્યા. હાડોહાડ જાતિવાદી જેતલપુરમાં જન્મેલો, છતાં સેવાકાર્યમાં ચપટીક અને દેશવિદેશમાં પથરા પાછળ અધધધ... પૈસા બગાડનારાઓ કરતાં જુદેરો, હાડોહાડ હિન્દુત્વવાદી ખાડિયાની દેસાઈની પોળમાં રહેલો છતાં બધા ભટ્ટ ને ખટ્ટ ને ચટ્ટ કરતાં આભ ઊંચેરો, જહાંગીરની ટંકશાળનો નામાંકિત સોની નિર્ગુણ સંપ્રદાયનો અખો ભગત પણ હ્વરટ્ઠાંૈ ષ્ઠેઙ્મંની એ જ માળાનો મણકો હતો. ધર્મના નામે વ્યાપકપણે વ્યાપ્ત પાખંડો (એ જમાનાના યુગબોધ અનુસાર જે જે એને દેખાયા) પર સરળ છતાં ય આકરામાં આકરા પ્રહારો કરનાર અખાના છપ્પાઓ આજે પણ વાતવાતમાં ઘેર ઘેર બોલાય છે. આખાબોલાપણાનાં બેમિસાલ ઉદાહરણો છે અખાના છપ્પાઓ. દલિત સાહિત્યનો એક તાર જેમ પ્રગતિશીલો, જનવાદીઓ, નારીવાદીઓ, રેશનાલિસ્ટોની સાથે મળે છે એમ એક તાર ભક્તિ આંદોલનના કબીર, રૈદાસ, નરસિંહ, નાનક, નામદેવ, મીરા, તિરુવલ્લુવર, બસવેશ્વરની સાથે મળે છે અને એક તાર ગુજરાતના અખાની સાથે પણ મળે છે. મુરબ્બી શંકર પેન્ટરની કવિતાઓનું આખાબોલાપણું અખાના છપ્પાની અડોઅડ બેસે તેવું છે. સંગ્રહનું નામ જ જુઓને ‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ ખુલ્લી કટાર જેવું શીર્ષક છે સંગ્રહનું. કેટલો બધો ર્હ્લષ્ઠીિ છે એમાં ! કેટલો જીૅૈૈિં અને જીંટ્ઠદ્બૈહટ્ઠ છે એમાં ! દલિતસાહિત્ય લખવું એ ખરેખરા સાહસનું કામ છે. કાચાપોચાના ખેલ નથી એ. શંકર પેન્ટરમાં પણ એ સાહસ ઊતરી આવ્યું છે કેમ કે એ ગુજરાતી અખાના વારસદાર છે.

શંકર પેન્ટરની કવિતાઓના આ સંચયની હસ્તપ્રત હાથમાં આવી ત્યારે યોગાનુયોગ તે ખોલતાં જ એમાં પહેલી જ કવિતા નજરે ચઢી ઃ ‘‘આઝાદી તો ક્યારની આવી  (૨), લોકો એવું કે છે રે, પણ ભઈલા અમે એને ક્યાંય ના ભાળી!’’ અને સરદાર બ્રીજ પાસે જમાલપુરના સ્લમ ક્વાર્ટર્સમાં પ્રમુક (પ્રમુખ) તરીકે ઓળખાતા કર્મશીલે આયોજિત કરેલા કાર્યક્રમમાં વાલ્મિકી બહેનો અને ભાઈઓના ટોળા વચ્ચે વગર માઈકે ‘‘યે આઝાદી ઝૂઠી હૈ, યે આઝાદી ઝૂઠી હૈ. સાથિયો, જુલ્મ કો હટાના હૈ’’ ગાતી રૈખ્તરીિ દ્બૈઙ્ઘઙ્ઘઙ્મી ષ્ઠઙ્મટ્ઠજજની ર્ષ્ઠહદૃીહંમાં ંરર્િેખ્તરર્ ેં ઈહખ્તઙ્મૈજર દ્બીઙ્ઘૈેદ્બમાં ભણેલી સંગીતા શ્રોફ નામની એક ીહંરેજૈટ્ઠજંૈષ્ઠ, ીહીખ્તીિંૈષ્ઠ યુવતી દૃષ્ટિગોચર થઈ. જાણે એ જ ગીત પાઠફેરે હોય એમ "આઝાદી આવી તો એને રંગી કાળા કૂચડે" ગાતો ર્ઁર્િ ઝઙ્મટ્ઠજજનો મગન માધ્યમમાં ભણેલો સાહિલ પરમાર નામનો એક ીહંરેજૈટ્ઠજંૈષ્ઠ, ીહીખ્તીિંૈષ્ઠ યુવક દૃષ્ટિગોચર થયો. બંને હાથે લાલ રૂમાલ બાંધીને અમદાવાદના રાજપુરમાં નગરી મિલ સામેની સાત ચાલીઓના મેદાનમાં ચારે કોર લોકટોળા વચ્ચે, પગે બાંધેલા ઘુંઘરુના તાલ સાથે બિરાદર સંજીવાની સંગાથમાં "યે ગાંવ હમારા, યે ગલી હમારી" ગાતા નાચતા ઁઉય્ના કોમરેડ ‘ગદ્દર’ નજર સામે તરવરી ઉઠ્યા! ગાંધીનગરમાં દલિત આદિવાસીની મહારેલીમાં "અમે માગી’તી મુઠ્ઠી જાર, માગ્યું માગ્યું ના આભ આ મોટું" ગાતા કર્દમ ભટ્ટ અને "આઝાદી તો ક્યારની આવી (૨) ભઈલા, અમે એને ક્યાંય ના ભાળી ! ઓ ફકીરા, લ્યા નાથિયા." ગાતા શંકર પેન્ટર નજરવગા થયા. અને રાજુ સોલંકીએ તો અમારી બધાની કવિતાઓ ગાઈ ગાઈને, વાંચી વાંચીને અમને લોકમાં ભેળવી દીધેલા. એ પણ નજર સામે તરવર્યું. આ બધાં દૃશ્યો ૧૯૮૫-૮૬નાં છે. શંકર પેન્ટરની કવિતા અંગે પાયાનું કોઈ એક જ વિધાન કરવું હોય તો કહેવું જ પડે કે એમની કવિતા સીધેસીધા આંદોલનની કવિતા છે, સીધેસીધા આંદોલન માટેની કવિતા છે, આંદોલનની નીપજરૂપ કવિતા છે. એ વેળા શંકરભાઈના મોંએ ર્સ્દૃીદ્બીહં(ચળવળ) શબ્દ બહુ જ આવતો. એ પોતે જાણેર્ ંહઙ્મઅ ર્કિ ર્સ્દૃીદ્બીહંન હોય ! અડધી રાતે કઢંગી હાલતમાં આપણને હાથ લાગેલી આાઝાદીની આલોચના આંદોલનમાં પડેલા નામદેવ ઢસાળથી માંડી શંકર પેન્ટર સુધીના કવિઓએ પોતપોતાની રીતે કરેલી છે. ભૂતકાળની ગરવાઈના ગાણાં ગાતી; કોઈપણ નાથારામ, પેથારામને, આલિયામાલિયાને - જેમને કહેવા હોય તો બાવા જ કહી શકાય, વધુમાં વધુ સાધુ જ કહી શકાય તેવા - કચાલિયાથી માંડીને કથાકાર સુધીના ગમે તેને માથે ‘સંત’ શબ્દનું છોગું પહેરાવી દેતી પ્રજા આગળ ભારતની સદાકાલીન સર્વકાલીન વરવાઈનાં દૃશ્યો શંકરભાઈએ રજૂ કર્યાં છે. ૧૯૪૭ ની ૧૪મી ઓગસ્ટની મધરાતે પુનઃપ્રાપ્ત થયેલ ‘સવર્ણ સ્વાતંત્ર્ય’ના સથવારે, કથિત ધર્મની આડમાં, ભારત જેવા વિકાસશીલ દેશ માટે અકલ્યાણકારી એવી જાતિભેદોની વૃત્તિ-પ્રવૃત્તિઓને પાળતા પોષતા સંકરાચાર્યો સહિતનાને નાગા તબડક્ કરી દીધા છે. ‘શિવેતર ક્ષય’ (અકલ્યાણકારી વૃત્તિપ્રવૃત્તિઓના નાશ)ના દલિત સાહિત્યના એક પ્રયોજનને પાર પાડ્યું છે.

વીસમી સદીના નવમા દાયકાની ગવાતી દલિત કવિતાના ક્ષેત્રમાં બે નામ મોખરે હતાં ઃ એક તે ઉત્તર ગુજરાતના શંકર પેન્ટર અને બીજા તે મધ્ય ગુજરાતના ગાંડાભાઈ પરમાર, બંનેની કવિતાઓ જુદા જુદા કવિસંમેલનોમાં, જુદાં જુદાં ગામોમાં, ચાલીઓમાં, શેરીઓમાં સમગ્ર નવમા દાયકા દરમિયાન ગુંજતી રહી, તાળીઓના અભિવાદનો ઝીલતી રહી અને પોતીકા કવિઓની કવિતાઓથી દલિત ચેતનાના ભીંજાવાની એ પ્રારંભિક પળોમાં, નવતર જનમાનસનું નવનિર્માણ કરતી રહી. હાલ મને યાદ આવે છે, ‘દલિત કવિતા’ સંચય પછીનો ૧૪ દલિત કવિઓની પાંચ પાંચ કવિતા સમાવતો બીજો દલિત કવિતા સંચય ‘વિસ્ફોટ’ જેમને અર્પણ થયેલ છે તે સુમિબહેન ચૌહાણના ભાઈ અને સુરેન્દ્રનગરની કોલેજમાં પ્રોફેસર તરીકે સોળ સોળ વર્ષ સુધી વિદ્યાર્થીઓને અંગ્રેજી સાહિત્યનું પરિશીલન કરાવનાર, ય્ઝઈઇ્ ના ડ્ઢૈીિષ્ઠર્ંપિદેથી નિવૃત્ત થયેલ શ્રી. મોહનભાઈ એસ. ચૌહાણસાહેબે શંકર પેન્ટરની કવિતાઓ સાંભળીને ૧૯૮૩માં કહેલ આ શબ્દો ઃ ‘કવિતા નારિયેળ જેવી ન હોવી જોઈએ કે જેને છોલવામાં દમ નીકળી જાય ત્યારે ગલ હાથ લાગે. કવિતા તો શીરા જેવી હોવી જોઈએ, જે ગપ્ દઈને અંદર ઉતરી જાય.’ ભાઈ શ્રી શંકર પેન્ટરની કવિતાઓ અભાવ વેઠતી દલિત માતા, બહેન કે પત્નીએ પ્રેમપૂર્વક અને ચીવટપૂર્વક ચાકૂ ગોળમાંથી બનાવેલા શ્યામ શીરા જેવી છે કે જેને દલિતોના દિલમાં ઉતરી જતી અમે એક્સ રે કે સોનોગ્રાફી મશીન વિના પણ નિહાળી છે. એમની કવિતાઓની સાદગી જોઈને આ શેર યાદ આવી જાય ઃ ‘ઈસ સાદગી પે કૌન મર ન જાયે ભલા, લડતે હૈં ઔર હાથમેં તલવાર નહીં.’ માર્ક્સના કોલ      ર્ઉાીિજિર્ ક ંરીર્ ુઙ્મિઙ્ઘ ેહૈંી, ર્એ રટ્ઠદૃી ર્હંરૈહખ્ત ર્ં ર્ઙ્મજી હ્વેં ર્એિ ષ્ઠરટ્ઠૈહજને કેટલા સાદા શબ્દોમાં એમણે ગીતમાં ઉતાર્યો છે ! ‘ગુમાવવાનું તારે શું છે ? જાશે જાશે તો આ બેડીઓ જાશે, બીજું શું તારું જાશે. ઓ ફકીરા, ઓ નાથિયા, ઓ જીવલા, ઓ શીવલા, ગુમાવવાનું તારે શું છે ?’ તલવારથી નહીં, પણ કલમથી લડેલા આ કલમસિપાહીને એ આખા દશકાની દોડધામ, અનિયમિત અને અપ્રમાણસર ખાણીપીણીને પ્રતાપે ડાયાબીટીસ પ્રાપ્ત (ટ્ઠષ્ઠૂેૈીિઙ્ઘ) થયો જેના સાહેદ મારી સાથે સાથે દલિત સાહિત્ય સંઘ, જાતિ નિર્મૂલન સંકલન સમિતિ, માસ મુવમેન્ટ, ચિનગારી જેવા સંગઠનોના સંસ્કૃતિકર્મી વડીલો અને મિત્રો - દલપત ચૌહાણ, રાજુ સોલંકી, ચંદુ મહેરિયા, હરીશ મંગલમ્, ટીકેશ મકવાણા, બાલકૃષ્ણ આનંદ, કાન્તિ કાતિલ, કનુ સુમરા, મનહર પરમાર, ભરત બોક્સર, નાનજી, જયવર્ધન હર્ષ, મિલીન્દ પ્રિયદર્શી, નયન શાહ, કર્દમ ભટ્ટ, અશ્વિન દેસાઈ, સંગીતા શ્રોફ, ગીતાબેન શાહ, તનુશ્રી ગંગોપાધ્યાય જેવા, ખરેખરા હુલ્લડો (૧૯૮૧, ૧૯૮૫-૮૬ અને ૧૯૯૦-૯૨)ના દિવસોમાં સક્રિય હતા તેવા અનેક મિત્રો છે. મુરબ્બીશ્રી શંકરભાઈ અને મિત્રોએ વર્ષો સુધી રાણીવાસમાં ભરાઈ રહીને ફાગ ખેલતાં ખેલતાં હળવા હાથે કવિતા કામિનીના કપાળે શબ્દોની સેંથીઓ નથી પૂરી, પણ શેરીઓ, ચાલીઓ અને ગામડાં ખૂંદીને મધરાતના મુસાફર બની વાસ્તવની ભોંય પર સાહિત્યિક ગડમથલ કરી છે, જનસામાન્ય સાથે ખભે ખભા મિલાવી ભાઈચારો કેળવ્યો છે અને ઝનૂની બોક્સરની જેમ શત્રુઓનાં નાક, દાંત, માથાં પર આકરા સખ્ત શબ્દોના જોરદાર મુક્કા કર્યા છે.

અડાબીડ જંગલનાં અમે અણછોલ્યાં એંધણા: શંકર પેન્ટર


બચપણથી સાહિત્યના અતિ અલ્પ વાંચને હૃદયની અગાધ ઊર્મીઓમાં પ્હેલવ્હેલી આત્મિય મનની અસ્તિત્વ ભૂખ સંતોષાયેલો અમી ભરેલો મીઠો ઓડકાર આવ્યો, મારી નાભિના નાદ્થી ! એ અદ્ભૂત ઓડકાર ભેળો ઉદ્ભવેલો અનહદ ઉદ્ગાર નાદ્ આજે પાંસઠ વર્ષે પણ સ્મૃતિપટે અકબંધ તોળાયેલો એમને એમ જ જળવાઈ રહ્યો છે !
મારી અલ્પ આંતરડીએ મને તે વખતે પુરેપુરો અહેસાસ કરાવ્યો.
‘‘કવિ કલાપી, કાન્ત,
મેઘાણી અને બાઈ મીરાં;
એમના એ કાફલાનું,
હું નાનેરું બાળ છું.’’
એ મહાકવિઓના દિવ્ય સાહિત્યડુંગરે ચઢતાં તેમના ભવ્યાતિભવ્ય ઝૂંડ-કાફલામાં વચ્ચોવચ્ચ પાપા પગલી પાડી હર્ષભેર કિલ્લોલતાં મારા બાલ્ય અસ્તિત્વને નિહાળી હું ઘણી જ ધન્યતા પામ્યો !
વર્ષાના વધામણે જામેલા ગોરંભે મીઠડાં ટહૂકાઓનો મન મોરલો તેનો ‘કેકારવ’ કરતો થન્ થન્ નાચતો સૂરસિંહજી ગોહિલ ‘કલાપી’ મારા એ બાલ્યકાળે હૃદયના ગગન ગોખે મેં કંડાર્યો હતો ! અતિ અલ્પ બચપને જીગરની સલામી અર્પાઈ ગઈ પ્રેમ બેહોશીમાં !
મીઠાં ટહૂકા કરીને મોરલો
ગયો, પ્રેમ દુનિયા થી !
સુણી એ ‘સૂર’ના શબ્દો
સલામી અર્પુ જીગરની !
મારાં સહજ બાળમાનસ્ને મુરલીધરની પ્રેમ દિવાની, મદ્હોશે ઘાયલ મસ્તાની, ખુદમાં ખોવાયેલી મીરાંએ જડોમાંથી એને ઝક્ઝોર્યું ! મેવાડી રાજઘરાના ક્ષત્રાણી મહારાણીના અહમ્ શૂન્ય વ્યક્તિત્વે, અપરંપાર તારલાઓથી મઢાયેલ સંતોના અવ્યક્ત અવકાશમાં પૂર્ણ દૈદિપ્યમાન ઝળહળ ઝળુંબતાં એક માત્ર અચલ ધ્રુવતારા સમાન, શોષિતોની સામાજિક-ર્ધાિમક ચળવળના અગ્રેસર, ચર્મકાર સંત શીરોેમણી શ્રી રોહિદાસજીના ચરણવીંદોમાં થયેલાં અદ્ભૂત અવિસ્મરણીય આત્મ સમપર્ણે !
માનવ સર્જીત મહાપ્રપંચી મનુવાદી પીરામીડી કટ્ટર જાતિવાદી ઝાંખરાઓને વછોડી વછોડી, દલિત દીકરી ડાળલ દે’ને પોકરણ ગઢના મહાપરાક્રમી આદરણિય બાબા રામદેવજી મહારાજાએ, બ્રાહ્મણી લોખંડી વ્યવસ્થા તંત્રમાંથીઅબળા’ અને ‘નબળાં’ શૂદ્રો અતીશૂદ્રો સાથે અંતરનો આત્મિય નાતો જોડી તેમને સમાન આસને બિરાજમાન કરી, મુસ્લિમ કાળે હિન્દુ-મુસ્લિમ કોમી એખલાસ જાળવી ‘હિંદવાપીર’નું મહા બિરૂદ મેળવનાર એક માત્ર બાર બીજના ‘નિજીયા ધર્મ’ના માનવતાવાદી નરબંકા રણુંજાના રામદેવજી મહારાજને સત્ સત્ કોટી પ્રણામ કરી શૂદ્રો અતિશૂદ્રોની મહાપરંપરા નિભાવી, તેમના લીલુડા નેજે અમે બાલ્યકાળે નાચ્યા કૂદયા છીએ !
હિન્દુ વર્ણવ્યવસ્થાના બર્બરક અમાનુષિક અત્યાચારોને એકજ ઝાટકે પરાસ્ત કરવા પાટણપતિ સઘરા’જેસંગે આપેલા રાજયાદેશે, માનવતાવાદી બત્રિસ લક્ષણો દલિત શહીદ નરબંકો ‘મહાવીર મેઘમાયો’ પોતે પોતાના મહામુલા પ્રાણની અવેજીમાં ભદ્ર સમાજે બાંધેલી મુશ્કેરાટ ક્રૂર બેડીઓ, કમરમાં પીઠ પાછળ પોતાના જ પગલાં પોંછતું પગ પાછળ ઘસડાતું ઝાડું, પોતાને થૂંકવા માટે ગળામાં બાંધેલી માટીની કલૂડી, દૂર દૂરથી પોતાના આવવાની અભિવ્યક્તિ કરતી પોશ પોશ પોકાર પાડતી દલિત જીભનું ટેરવું અને પોતાની આગવી ઓળખ છતી કરતી શૂદ્રની સાબિતી આપતી ખભા પર લટકતી વિશેષ વિચિત્ર બાંય ! આવું તો આખા માનવ ઈતિહાસમાં ‘મેરા ભારત મહાન’ સિવાય દુનિયાના પછાતથી અતિપછાત દેશ કે પ્રદેશમાં ક્યાંયે ન્હોંતું ! આ બધું જ કઢાવવા સધરા’ જેસંગને કરારબધ્ધ કરી, પાટણના સહસ્ત્રલિંગમાં માનવતાવાદી વીર તું વધેરાયો ! જયારે મેં બચપનમાં વડવાઓ પાસેથી આ બધો વરવી દલિત વ્યથાનો કંઠસ્થ ઈતિહાસ સાંભળ્યો તો મારું રોમ રોમ, એ બાલ્યચેતના એમના અંતરથી ઓવારણા લેવા અધીરી બની, તલપાપડ બની !
મારા શૈશવ કાળે પ્રાથમિક શાળાએ આપણા રાષ્ટિ્રય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી જેઓ મારી પ્રેરણાનો સ્તંભ, મારા કાળજાની કોર, તેમના મ્હેંકતા ગીતોની અતૂટ સરવાણી છેડતા એ એવા ગીતકાર, જાણે પડછંદા પડઘાઓ પાડતાં શબ્દોનો આભ ઉંચેરો પ્હાડ ! હું અપ્રતિમ ઉર ચાહક બન્યો એમનો ! એ સમયે વાંચેલી ‘સૌરાષ્ટ્રની રસધાર’ માટે માનવંતા મનના માણીગર મેઘાણીજી ચારણોના નેહડે નેહડે દૈવીપુત્ર શક્તિ ઉપાસક લોકગાયક ગુણિયલ ગઢવીઓના ઘેર લીલાછમ્મ્ ખેતરોના ખોરડે ખોરડે, ગામેગામ પંકાતા પુજાતા ધીંગાણામાં ધરબાયેલા જનોના અડીખમ પાળીયાઓ વચ્ચે લોકસાહિત્યના તલસ્પર્શી અભ્યાસાર્થે રાત-દી ભૂલીને રવ રવ રવડતાં મેં સાંભળ્યા તો મને મળી એમની પ્રેરણાઓથી એક અદ્ભૂત અનુભૂતિ- માનસ્ ચેતના ! મારાં ભઈલા ઓ વચ્ચે ભમવાની, તેમના ઝૂંપડામાં ખરલ્ પર પીસાયેલ પત્થર ચટ્ટા મરચું ને બાજરીનો રોટલો ખાવાની જાગેલી મન ભરી મીઠાશ માણવાની મહેચ્છા !
વર્ણાશ્રમ ધર્મના સામાજિક નર્કાગારમાં જીવતાં મનેખોનો માંયલો ત્યાં પણ મનોમન આક્રંદી ઉઠેલો ! મેં ત્યાં જે કાંઈ દીઠ્યું તે સર્વ મારું દલિત લોકઢાળી ભાવુક લોકગીત બન્યું ! ‘‘ધૂળચી તારી મનઅ્ માયા લાગી’’ મારા ઉરમાંથી ઉઠ્યું ‘‘તું ગામડે મારા આવજે રે હો વિરા મારી વ્યથા જોવા, દુઃખિયાનો ભેરું થાજે રે હો વીરા મારા કલમવાળા.’, શૈ’લ દરવાજે ઢોલકી વાગે’માંથી હૈડે ઉપડ્યું ‘‘આજ આંગણિયામાં બુંગિયો વાગે.’’ સવા બશેરનું મારું દાત્તેડું રે લોલ’’માંથી આંખની કીકીમાં ઝડપાયું ‘‘આવનાર યુગ હવે આપણો’’ પછી તો વણઝાર ચાલી ‘‘ગુમાવવાનું તારે શું છે ?’’, ‘‘તોડ ચપણિયા’’ પેલા ફીલ્મી ઢાળ ‘‘જાગ રે માલણ જાગ’’માંથી ‘‘બાઈ રતનને રંગ’’. મારે તો રચવી’તી શુભ્રતિશુભ્ર સુફિયાણી કવિતા. મારા આધ્યાત્મિક ગુરૂ દલિતકવિ સંત વૈધરાજ સ્વામી લક્ષાનંદજી ‘વેદાંત કેશરી’ પાસે હું શીખ્યો તો કવિ દલપત છંદ  પીંગળશાસ્ત્ર. મારે તો રચવા’તા પ્રાસ-અનુપ્રાસ, લઘુ-ગુરૂ, છંદ-ઉપછંદ, રેખતાઓ ને રૂપકો મારે તો માપવી’તી ચોવીસ માત્રાઓ, ૧૪ લીટીના સોનેટો, ઘાટ, રૂપ, અરૂપ, સ્વરૂપ અને ૩૬-૨૪-૩૬ સુપરિચિત સૌંદર્યમૂલક છંદોગ્ધ ફોર્મ્યુલા મારે તો રચવીતી ભૌભૂમિતિક અવનવી વિધવિધ હૃદયસ્પર્શી વ્યંજનાત્મક આકૃતિઓ. પરંતુ ‘‘ચ્યમ ’લ્યા આટલું ફાટ્ટી જયુંસ્’’ મારી કલમના લમણે જ ઝીંકાણું. હવે બધું જ મને અકારમું અને અકળામણું લાગ્યું. મારે સંવેદનાઓને એવી તો ઘૂંટવી’તી કલાતત્વની ઉત્કૃષ્ઠ વિભાવનાઓની સાથે. પરંતુ એ બધું જ મને વામણું અને નકરા વેવલાવેડા જેવું જ ભાસ્યું ! મને થયું મારે હવે કોઈ કવિ-બવી કે સાહિત્યકાર-બાહિત્યકાર નથી બનવું ! મારી દર્દનાક અગાધ સંવેદનાઓની અમાપ અભિવ્યક્તિને સઘળાં લલિત સાહિત્યિક વિધિવિધાનોને નિયમ-નિયમાવલીઓથી અલિપ્ત મુક્ત ગગનવિહારી પક્ષીની જેમ કોરા કાગળે એ વેદનાઓ સીધેસીધી ઉતારવી’તી. હા, હવે મારે મન એ જ ઉત્તમ્ ! કદાચ જોગસંજોગે અનાયાસે અમારાથી રૂપવિધાન કે ઘટના વિભાવનાના ઝીણા પ્રયોજાતા નકશીકામમાં ક્યાંક કલાત્મક કાંતણ ગૂંથણમાં જો કોતરાઈ જવાય તો કોઈ રૂઢીવાદી માલેતુજાર સાક્ષરના સાહિત્ય શો-રૂમમાં ‘એન્ટીક પીસ’ બની આખું આયખું પેલા ફુલણશી રીંગણા ચોર જલા તરવાડીઓ’ જેવું આત્મશ્લાઘી અહમ્ પ્રાપ્ત કરી ક્યાંક પુરાઈ કે વેચાઈ જવું ના પડે ? આજે પોતાને જ દલિત સાહિત્યનો પીંડ બાંધનાર સમજનારાઓ, દલિત સાહિત્યની પાંચ વિભાવનાઓમાં પહેલી વિભાવના વર્ણાશ્રમ-અસ્પૃશ્યતાનો સંઘર્ષમય વિરોધ ભૂલી દલિત સાહિત્યના પ્રસ્થાપિત, પ્રારંભિક પ્રણેતાની પાગલની જેમ જાતે જ ખોટી ને મોટી શેખીઓ મારતાં બાલીશ બૂમરાણોને ઢોલ પીટતાં લલિત સર્જકો વચ્ચે ટકી રહેવા કોઈકની નવીન કૃતિઓમાં પોતાની અસ્તિત્વ નોંધો લખાવતા નિષ્ફળ હેવાનિયત ભર્યા હવાતિયાં મારતી બેવકૂફોની દયનીય ડફોળ દશામાં હાડ્ફીટ થવાનું કે હાડ્ હોડ્ય્ થવાનું ભાઈ મને તો શરૂથી જ જરાય મંજૂર નહોતું ! શું અસહ્ય કાળજાને કોરનારી પળપળ દુભાતી લાગણીસભર વરવી વેદનાઓ અલગ પ્રસ્થાપિત લલિત સાહિત્યના ત્રાજવાં કાટલાં કે ભૌગોલિક સાધનોવાળી મેજરમેંટ, કાટખૂણા, પરિકરોના આગવા માપદંડોથી મપાય કે તોળાય ખરી ?
નાભિમાંથી ઉઠતો નિર્મળ નાદ્ સ્ફૂરણાના શિખરે શબ્દરૂપે સ્ફૂલીંગેે એજ સાચ્ચી કવિતા / સાચ્ચું સાહિત્ય એમ મારું નમ્ર માનવું છે ! એવી કવિતા લોકભોગ્ય પણ બને અને જેના માટે તે લખાયું છે તે લોકો હોંશે હોંશે વધાવે. તેનાથી ઈર્ષા કરી તે દલિત સાહિત્યને નાશ કરવાના પેંતરા-પત્રો ના લખાય !
વર્ગવાદ અને વર્ણવાદ, વિષમતામૂલક કારમી શોષણ વેદના કોઈપણ સર્જકના કાળજામાં તેનો મર્મસ્થળે બરાબર ઘા ઝીંકે તે જ ઘડીએ તેનું અંતસ્-મર્મસ્થળ સોંસરું ભેદાય તો એ સાચા સંવેદનશીલ સર્જકને પોતાના કર્તવ્યબોધનો સંપૂર્ણ અહેસાસ તે જરૂર કરાવે ! અમારો શોષિત પીડિત આત્મ ગૌરવહીન સમાજ ફક્ત ગમે તે ભોગે જીવવાની ઘોર જિજિવિષા ખાતર જ બધું જ સહન કરતો અને નિષ્પ્રાણ નિસ્તેજ જીવતો આવ્યો છે તે કોઈપણ સ્થિતિને સ્વીકારી સ્વમાનહીન સમાધાનને શોધતા એ રાંકડા સમાજને સાબદો કરવા શબ્દરૂપી વાંકી વળેલી અગ્રભાગે અણીયાળી એક હાથે કાષ્ટ દંડી ગ્રહી, વચ્ચે અંદરથી પોલાં અને બન્ને તરફથી ચુસ્ત કલાત્મક ચામડે મઢેલા રંગબેરંગી ફુમતાઓથી ઝુલાતા અને સતત પીટાતાં રહેતાં લોકજાગૃતિના સબળ માધ્યમ ધીંગા ધૃબાંગાતા બૂંગિયા ઢોલ પર સંવેદનાઓની પડછંદ થપાટો દ્વારા મેં પણ માર્ગ મેળવ્યો. આપત્તિઓનો એક માત્ર ઉપાય એ સંક્રાતિકાળમાં ઊંઘતા જનસમૂહને જગાડવા માટે, દલિત બાંધવોની કરવટો બદલાવીને તેમને પ્રગાઢ નીંદરવામાંથી સફાળા ઉઠાડવા માટે, પ્રતિબધ્ધ દલિત કવિતાઓ અને ગીતોનો કાળજુ ચીરતો ‘‘બૂંગિયો’’ ગજવવાનો !
લોક ઢાળ, લોક લય, લોક બોલી,લોક લઢણ અને લોકગીતોની ચારુતાને દલિત પરિવેશમાં કવિતા, ગીતોના મર્માળુ માધ્યમથી બૂંગિયાના મહારૂઢ તાલ દ્વારા સતત્ તેના તાંડવ નાદ થી ! ભાવકને આરપાર વીંધતા એક અવનવા અભિયાન થી ! હૈયાના ગોખમાં જેવું જેવું જેમ જેમ ઉકલ્યું તેમ તેમ તેના અમૂર્ત કાવ્યત્વ (છહ્વજંટ્ઠિષ્ઠં ર્ઁીંિઅ) બોધને મૂર્ત સ્વરૂપ બક્ષવાનો વિનમ્ર અલ્પમતિ પ્રયાસ મેં આદર્યો. મારી ૧૯૬૧થી છૂટી છવાઈ, પ્રગટ-અપ્રગટ દલિત સંવેદનાઓ, આક્રોશને અતિક્રમીને વણાયેલ કૃતિઓ સને૧૯૮૪માં સક્રિય દલિત સાહિત્ય સંઘ – ગુજરાત દ્વારા પ્રકાશિત પ્રથમ પ્રતિબધ્ધ દલિત કાવ્ય સંગ્રહનું વિશિષ્ટ નામકરણ થયું ‘બૂંગિયો વાગે !’
આ સારા યે દેશમાં માંડ સાડા ત્રણ ટકા બ્રાહ્મણોની સંસ્કૃતિમાં અતિ ઉંડાણે તળીયાના પાયામાં સદીયોથી ખારમાં ખવાયેલ જર્જરીત ધર્મ ઈંટો વચ્ચે ધરબાયેલા, દટાયેલા, નિર્દયતાપૂર્વક રહેંસાયેલા અમાનુષિક અત્યાચારો વેઠતા મૂંગા માણસો અને તેમની જ વચ્ચે જીવતો કલમકાર તેમને અનુભવાતી વાસ્તવિક અનુભૂતિને સૌંદર્યમૂલક કલા શાસ્ત્રની (છીજંરીંૈષ્ઠૈજજદ્બ) ભાવસૃષ્ટિ (છદ્બહ્વૈીહષ્ઠી) સંઘટનતંત્ર     (છષ્ઠિરૈંીષ્ઠર્ંહૈષ્ઠજ) કે કસબ (છિંૈકૈષ્ઠી) કલાવિભાવના, રૂપક, પ્રતીક, કલ્પનો, પ્રતિરૂપો, ઉત્પ્રેક્ષા, અર્થ કે ગોપનકળા અને અવનવા વિશિષ્ટ તરાહના પ્રયોજાતા બહુ આયામી પ્રયોગાત્મક શૈલીના અદભૂત, અલંકારો શોધી શોધીને પંડની પીડા વેંઢારતો સર્જક કેવી રીતે અભિવ્યક્ત કરી શકે ?
‘અડાબીડ જંગલના અમે અણછોલ્યાં એંધણા’ના આ ફાટ્ટેલા તીક્ષ્ણ ફાચરાઓ કે વણ છોલાયેલ તીણી વેદના અર્પતી મહાશૂળો કે તીણાં ચીત્કાર બોલાવતાં તીક્ષ્ણ ઝીણાં કાંટાઓ, ઉઝરડતા કંથેર ઝાળાંઓ ભલે ભાવકને ક્યાંક બિન સમજે ભોગવાય કે તેની મનસ્થિતિને થોડુંક ઉઝરડે એ મારા ભઈલાઓની વેદનાઓ આગળ બહુ ઝાઝી ચિન્તાગ્રસ્ત વેદનાઓ નથી !
આ અમે ‘‘અણછોલ્યાં એંધણાં’’ કોઈ અડાબીડ માથોડાઓથી ઊંચી થુવેરીયાઓની સઘન વાડો વચ્ચેથી અમારી કોઈ ગ્રામ્ય દલિત માતાના સુક્કીભઠ્ઠ કર્કશ ચામડીવાળા હાથના મજબૂત પંજામાં કુહાડીના હાથોમાં ખેંચાઈને પહોંચીએ તો, તેના ગામ છેવાડેના અંધારીયા ભેંતડાઓ વચ્ચે છાણ માટી લીંપ્યા ચૂલે-ચોકે, કો’ક કુંભારની ઘડેલી માટીની તવી પર, કાચ્ચા ટીપાઈ ઘડાયેલા બાજરી, જુવારના ગોળ રોટલાને એ તવી નીચે ચૂલામાં ભડ્ભડ્ બળતાં અમે અણ છોલ્યા એંધણા સંપૂર્ણ રાખ બની તવી પરના કાચ્ચા રોટલાને પાક્કો શેકીે, અમારાં ભૂલકાં દલિત ભાઈ બેનડીયુંની ભૂખથી પ્રદિપ્ત જઠરાગ્નિને જરૂર પરિતૃપ્ત કરી શકીએ !
અમારા પ્રતિબધ્ધ દલિત કવિઓના / પ્રતિબધ્ધ દલિત સાક્ષરોના સ્ફૂરીત સંવેદનોમાંથી પ્રગટતાં આ ‘અણછોલ્યાં એંધણા’ જેવી અણઘડ કવિતાઓ / સાહિત્ય કૃતિઓ / ગીતો / કલ્પનો કોઈ શબ્દ કાષ્ઠ શિલ્પી સર્જકો, પારખુ મર્મજ્ઞો, વિચક્ષણ વિવેચકો, સાહિત્ય સાધક સાક્ષરો કે ભાવુક સાહિત્ય રસિકો તેમના તુલનાત્મક ‘સંઘેડા’ પર અમારા અંગ અંગના અયોગ્ય આવરણો ઉતારી તેને યથા ભોગ્ય ઘાટ અર્પી ક્યારેક કો’કના જીવાતા જીવતરમાં કોઈ જીવન ઉપયોગી સાધન સામ્રગી ર્નિિમત કરે જેનાથી વિષમતામૂલક આ ર્ધાિમક અભદ્ર સમાજ રચનામાંથી વર્ણવાદ કે વર્ગવાદ હરહંમેશને માટે ભૂતકાળની ગર્તામાં ધકેલાઈ જાય તો આ લોકભોગ્ય ‘‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’’ લેખિનીનો ભયો ભયો.
અમારે ક્યારેય પણ કોઈ વર્ગવાદી અઢળક માલેતુજારોની ઉંચી મેડીએ કે વૈણ્યાં વૈણ્યથી અભડાઈને નાકનું ટેરવું ચઢાવતાં ભદ્ર મનુવાદીઓના રૂપાળા દિવાન ખંડોએ તેના કાચના કબાટે કાયમના માટે ‘‘શાૅ પીસ’’ ના માફક પુરાઈ જવાની લગી રે ખેવનાઓ કે અભરખાઓ અમને નથી !
આ સંગ્રહ ‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ એક અનોખું સાહિત્યિક વ્યક્તિત્વ ધરાવતા આદરણિય દલિત કવિમિત્ર શ્રી સાહિલ પરમારે પોતે ‘આવકાર’ આપતાં ‘આખા બોલા અખા અને મેઘાણીના વારસદાર’ શીર્ષક તળે ગુજરાતમાં દલિત સાહિત્યના પ્રારંભિક કાળની યથાસ્થિતિ વર્ણવી દલિત સાહિત્યના સાચા ઈતિહાસને યાદ કર્યો છે. તેમનો હું અત્યંત આભારી છું.
આ સંગ્રહને ‘વિદ્રોહમૂલક દલિત કવિતા’ શિર્ષક તળે પ્રસિદ્ધિ કવિતાઓની ‘શબ્દશલ્ય ચિકિત્સા’ સુપેરે કરનાર સાહિત્યના વિશિષ્ટ વિવેચક ડાૅ. ભરત મહેતાનો વિશેષ ઋણી છું.
ટાઈપ સેટીંગમાં ખૂબ જ કાળજી લઈ અક્ષત ગ્રાફીક્સના શ્રી મનોજ પરમારે (તંત્રી શ્રી દલિતચેતના) ઘણું સરાહનીય કાર્ય બજાવ્યું છે તેમનો તથા મુદ્રક શ્રી ગણેશ ઓફસટનો સુંદર છપાઈકામ બદલ આભારી છું.
‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ સંગ્રહ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન તરફથી પ્રકાશિત કરનાર પ્રમુખ શ્રી ડાૅ. મોહન પરમારે જો વિશેષ કાળજી ના લીધી હોત તો પ્રકાશન ખરેખર અશક્ય બનત. તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
અમારા દલિત સાહિત્યના ભિષ્મ-પિતામહ સ્વ. જોસેફ દાદાને ભાવભરી સ્મરણાંજલિ આ સંગ્રહ નિમિત્તે એમની વાતથી અર્પું.
‘‘શંકર, તારા ગીતોને કોઈના ઝાઝા બોલની જરૂર જ નથી. તારી કવિતાઓ, ગીતો જ તેનું સાચું હાર્દ કહી દે છે. આયુષ્યમાન બાંધવ શંકર, તારો સર્વત્ર સ્વીકાર હો…’’
‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ એ તળપદાં શીર્ષક તળેની અત્યાર સુધીની પ્રગટ-અપ્રગટ તમામ રચનાઓને સમાવિષ્ટ કરતો મારો પ્રતિબધ્ધ દલિત કાવ્યસંગ્રહ છે. કોઈક કાવ્યકૃતિમાં અતિ ઓળંગી આક્રોશમય અભિવ્યક્તિ જરૂર હશે ! જેમના માટે જે એન્ગલથી જેમનું તેમ વૈખરીએ આલેખાયું છે તે મારા બાંધવો મારી ક્ષમાયાચના સ્વીકારી ‘હૈડાંના હાચ્ચા હેત ઉમળકે’ સ્વીકારશે તેવી અંતરની અભિપ્સાઓ સાથે, બસ.’’

જયભીમ સાથે
‘મારા લોકો વધાવે એ જ હાચ્ચું !’
શંકર પેન્ટરના વંદન
સાથે
જય ભીમ જય ભારત

સાંબરડાનું સાંબેલું

સાંબરડાનું સાંબેલું ;
દિલ્હીમાં જઈને ડોલે ;
ખોલે ખોલે ખોલે એના,
પોલ જંબુરીયો ખોલે !
બેંતાળીસમો ઝંડો ફરકે,
મુકેશ ભાણો મુછમાં મરકે ;
ખુલ્લા માથે દલિતડું તરફડે,
લોહી નીગળતુંય બાપુ બરકે !
સામંતવાદી જાગીરી વળતર,
ગોચરને સરકારી પડતર ;
માંગણનું માલિકી ગણતર,
ખરાબાની જમીન હડપ કર !
દલિત મશાણ મોટું નડતર,
ગળચે ગઢવી ખેડવા ખેતર ;
દલિત નારીની હાલત બદતર,
મળ ત્યાગતા પડતા પાણા પત્થર !
કોંડાની જાનમાં ઢોલ વાગે તો,
“ઈન્શર્ટ”માં સામું આવે તો ;
બટન બુશર્ટનું ના વાખે તો,
આંખો પર ગોગલ્સ રાખે તો !
કપડાં ફાડી ચશ્મા તોડે,
ટાંગા ને માથા પણ ફોડે ;
ધડ ધડ ધડ ધડ ગોળી છોડે,
ટેલીફોનથી દિલ્લી જોડે !
દારૂ પી દેકારો ગજવે,
બ્હેન દીકરીને ભૂંડી પજવે ;
ચેન ચાળાથી લોક ને લજવે,
ટોળાં થઈ ગરીબોને ધ્રુજવે !
કરતાં હિજરત સહુ વણકર,
દઈ દયો પંચાયતને પાવર !
જયાં હોય જુલ્મી જોરાવર,
દઈ દયો પંચાયતને પાવર !

નોંધ ઃ-
સાંબરડા (બનાસકાંઠા)ના દલિત ભાઈઓની હિજરત વેળા પાલનપુર મુકામે ‘પાવર ટુ પીપલ’ શ્રી ભેરવદાન ગઢવી કેન્દ્રીય મંત્રીશ્રી ભારત સરકારને અર્પણ.

રચનાકાળ ઃ ૧૯૮૯

બૂંગિયો વાગે

આજ આંગણિયામાં બૂંગિયો વાગે, ને વાગે નગારે ઘાવ
શૂરા કેમ સૂઈ રહ્યા છો ?
માવડી, બેનડી, દીકરી તારી, પાડતી ચીસા… ચીસ !
બ્હેરા કેમ થઈ રહ્યા છો ? – આજ ૦
તારા પસીનાએ ધાન ઉગાડ્યું ’લ્યા મે’નતમાં મળી ગાળ !
નમાલા કેમ બન્યા છો ? -આજ ૦
માટીગરાના ખોરડાં તારાં, બાળી બનાવ્યાં રાખ !
મર્દો કેમ જોઈ રહ્યા છો ? -આજ ૦
રાંક રહ્યા તેથી ભોગ બન્યા ’લ્યા, ગુમાવ્યા અધિકાર !
ગુલામીમાં કેમ રહ્યા છો -આજ ૦
ભીમસેનાના ભડવીરો ઓ, શ્રમજીવીઓના બેટડાઓ તમે, દઈ દયોને લલકાર !
કોની રાહ જોઈ રહ્યા છો ? -આજ ૦

રચનાકાળ – ૧૯૬૮

સવારે ઝાડુ ! સાંજે વાળુ !

એંઠા ટૂકડા દીધા અમોને,
ઝલાવીને આ ઝાડુ !
મેલું માથે ઉપડાવ્યું ’લ્યા,
સાદ ગલી ગલી પાડું !
ક્યારે છૂટશે આ હાથોથી ?
સવારે ઝાડુ ! સાંજે વાળુ !

સદીઓથી સો ટકા અનામત,
અમને છે પકડાવી !
સઘળાં હક્કો લીધાં ઝૂંટવી,
કાયમ દીધા દબાવી !
અંતર કાળુ ઉજળિયાતનું
સવારે ઝાડુ ! સાંજે વાળુ !

ગામ કિનારે હડસેલીને,
જોર જુલ્મ વરસાયા !
શિયળ ચૂંથતા નરાધમો,
આ કાયમના હડકાયા !
જવું અમારે ક્યા મલકમાં ?
સવારે ઝાડુ ! સાંજે વાળુ !

કાળા લોહીથી ધરતી લથબથ,
કાયમથી રંગાતી !
સદા જુલમના બોજે મરતી,
અમ મુડદાલ ઝાડુ જાતિ !
કરશું ક્રાંતિ છોડી દઈને,
સવારે ઝાડુ ! સાંજે વાળુ !

રચનાકાળ ઃ ૧૯૮૩

તું ગામડે મારા આવજે રે !



(રાગ ઃ- ધૂળચી તારી મન્ માયા લાગી – લોકગીત)

તું ગામડે મારા આવજે રે હો વીરા મારી આ વ્યથા જોવા !
દુઃખિયાનો ભેરૂ તું થાજે રે, હો વીરા મારા વ્હાઈટ કોલરવાળા !
ગામ છેવાડે છે ઝૂંપડા મારા (૨)
ઉકરડાની આગળ રે… માથું ફાટ્ટે એવી દુર્ગંધ વાળા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા કમળ વાળા !
કૂવા કાંઠે અમે અળગાં ઊભા (૨)
ટીંપા પાણી માટે ટળવળતાં રે હો ઉજળીયાતના બૈરાં આગળ !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા પંજા વાળા !
ગાળ તુંકારા તોછડાઈથી (૨)
મ્હોં મચકોડી ઓ રેડે રે ઉપ્પર હાથે અભડાવાવાળા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા હાથી વાળા !
દૂણી લઈન છાસ લેવા (૨)
ઓટલે ઊભા કરગરીએ રે અમે “ડૂવો” કરીને “ડોઝઝું” ભરવા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા લાલ સલામ વાળા !
કાળી મજૂરી કરીન્ મરીએ (૨)
મ્હેનતાણામાં મ્હોંકાણો રે કરતા કાયમ આ ખેતરવાળા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા લઘુત્તમ વેતનવાળા !
અમે હિન્દુ હોવા છતાં મંદિર બંધ છે (૨)
વાસમાં મઢ અમે બાંધ્યા રે માતાજીના ગરબા ગાવા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા ત્રિશૂળ વાળા !
કાના ટૂટેલ ‘ચા’ના ચપણિયા (૨)
થુવેરીયામાં ઘાલ્યા રે ગામે ગામે આ હોટલવાળે
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા સમાજ કલ્યાણવાળા !
ગ્રામ પંચાયતનો સભ્ય થ્યો છું (૨)
જોડા હાચવીને બેહું રે હું તો “જનતાઘર”ના ઝાંપા આગળ !
તું ગામડે મારા આવજે રે હો વીરા મારા એટ્રોસીટીવાળા !
‘….ઢા’ હાળા ફાટ્યાં બહુ છે (૨)
સૂણી સૂણી કાન પાક્યા રે જાણે બરછી ભાલા વાગોે કાળજડામાં
તું ગામડે મારા આવજે રે હો વીરા મારા દલિત પેન્થર વાળા !
આઝાદી તો ક્યારની આવી (૨)
લોકો એવું કહે છે રે પણ ભઈલા, અમે એને ક્યાંય ના ભાળી
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારી આ વ્યથા જોવા
દુઃખિયાનો ભેરૂ થાજે રે હો વીરા તારી હાચ્ચી કલમ વાળા !
રચનાકાળ ઃ ૧૯૬૮